મોરબીમાં 27 ઓક્ટોબરે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

- text


સન્માન સમારોહ બાબતે આગેવાનોની મીટીંગ યોજાશે

મોરબી : મોરબીના સામાકાંઠે કલેક્ટર કચેરી પાછળ આવેલી શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે ગઆઈકાલે તારીખ 6 ઓક્ટોબર ને રવિવારના રોજ 9 કલાકે વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ બાબતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ મીટીંગમાં ચર્ચા વિચારણા થયા મુજબ સન્માન સમારોહ માટે ફોર્મ સ્વીકારવાની તા. 15-10-2024 અને સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ તા. 27-10-2024 ને રવિવારના રોજ બપોરના 3 કલાકે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે યોજાશે. આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિદ્યાર્થી સન્માન સમારોહનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જગદીશભાઈ જી. બાંભણીયા, દીનેશભાઈ સાથલીયા, ધનજીભાઈ સંખેસરીયા, કલ્પેશભાઈ ગડેશિયા, અવચરભાઈ દેગામા, જીતુભાઈ સાથલપરા, અજયભાઈ વાઘાણી સહિતના આગેવાનો મીટીંગમાં હાજર રહ્યા હતા.

- text