ABVP મોરબી દ્વારા “મહારેલી” સાથે “સિંહ ગર્જના”નો કાર્યક્રમ યોજાયો 

- text


વિવિધ કોલેજની કારોબારીની જાહેરાત કરવામાં આવી

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા ઊમિયા સર્કલ થી OMVVIM કોલેજ સુધી રેલી સાથે “સિંહ ગર્જના”નો કાર્યક્રમ યોજાયો. જેમાં પી.જી. પટેલ કોલેજ, OMVVIM કોલેજ, નવયુગ કોલેજ તેમજ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી.

જેમાં પી.જી. પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ ઝાલા અને કેમ્પસ મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, OMVVIM કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે હર્ષભાઈ ડાંગર અને કેમ્પસ મંત્રી તરીકે રમેશભાઈ આહીર, નવયુગ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે યશભાઈ મકાસણા અને કેમ્પસ મંત્રી તરીકે મિતભાઈ મનીપરા, U.N મહેતા આર્ટ્સ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે આર્યદીપસિંહ રાઠોડ અને કેમ્પસ મંત્રી તરીકે જીજ્ઞેશભાઈ સોલંકી સહિતની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આગામી સમયમાં કોલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવશે જેમાં જોડાવવા માટે મો.નં. 7862842028 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text

- text