ટંકારાના ઓટાળા નજીક રોડ ઉપર ઉભેલી રીક્ષાને ટેન્કરે ઉલાળી, સગીરનું મૃત્યુ

- text


જામ ખંભાળિયા શ્રાદ્ધમા ગયેલ કુટુંબીઓ પરત આવતા હતા ત્યારે બનેલી ઘટના

ટંકારા : મોરબીથી જામખંભાળિયા ગામે શ્રાદ્ધ વિધિમાં ગયેલ કુટુંબીજનો પરત આવતા હતા ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા નજીક રોડની સાઈડમાં રીક્ષા ઉભી રાખી રીક્ષા ચાલક લઘુશંકા કરવા જતા અજાણ્યા ટેન્કર ચાલકે રીક્ષાને હડફેટે લઈ ઉલાળી દેતા રીક્ષા પાસે ઉભેલા સગીરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક મહિલાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રાજપર રોડ ઉપર ફોરમ કંપનીમાં રહેતા મૂળ માધાપર ભુજના પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વાઘેલાએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25 સપ્ટેમ્બરના રોજ તેમના કૌટુંબિક સગા મનસુખભાઈની રીક્ષામાં બેસી તેમનો પુત્ર વીર ઉ.14 સહિતના લોકો જામ ખંભાળિયાથી પરત આવી રહ્યા હતા ત્યારે મનસુખભાઇએ ઓટાળા નજીક રીક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી લઘુશંકા કરવા જતા પાછળથી અજાણ્યા ટેન્કર ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જી રીક્ષા પલ્ટી ખવડાવી દેતા રીક્ષા પાસે ઉભેલા વીરને તેમજ બબીબેન નામના મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં વીર ઉ.14નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પ્રકાશભાઈ વાઘેલાની ફરિયાદને આધારે પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text