મોરબી જલારામ મંદિરે યોજાયેલા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 188 દર્દીઓએ લીધો લાભ

- text


ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા તથા સતવારા સમાજના અગ્રણી વાલજીભાઈ ડાભીની ઉપસ્થિતિમાં યોજાયો કેમ્પ

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આજે તારીખ 4 ઓક્ટોબર ને શુક્રવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 188 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 75 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પ્રવર્તમાન માસનો કેમ્પ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, સતવારા સમાજના અગ્રણી વાલજીભાઈ ડાયાભાઈ ડાભી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અગ્રણી નાગજીભાઈ વાંસદડીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ મંદિર ખાતે ગત 36 માસ દરમિયાન યોજાયેલા નેત્રમણી કેમ્પમાં કુલ 10872 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 4876 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 188 લોકોએ લાભ લીધો હતો તેમજ 75 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા- 9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text