6 ઓક્ટોબરે મોરબીના નવયુગ સંકુલ ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે

- text


ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત દ્વારા સ્પર્ધાનું આયોજન

મોરબી : વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર થાય તેવા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત દ્વારા પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન આગામી તારીખ 6 ઓક્ટોબરના રોજ મોરબીના નવયુગ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે.

- text

નવયુગ સંકુલ ખાતે 6 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા ઉદઘાટન સમારોહ યોજાશે અને બપોરે 12 કલાકે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીના પ્રમુખ પી.ડી. કાંજીયા, મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, ભારત વિકાસ પરિષદના રિજનલ જનરલ સેક્રેટરી વિનોદભાઈ લાઠીયા, રિજનલ સેક્રેટરી સંસ્કાર રવિન્દ્રભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા અધ્યક્ષ દિપેનભાઈ પંડ્યા, મહાસચિવ સંજયભાઈ કોટક, સમૂહગાન સંયોજક આનંદભાઈ સિદ્ધપુરા, મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, સચિવ હિમંતભાઈ મારવણિયાએ આમંત્રણ પાઠવ્યું છે.

- text