મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : રઘુવંશી યુવક મંડળ- મોરબી દ્વારા ગત તારીખ 29 સપ્ટેમ્બર ને રવિવારના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન- મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ તથા વિવિધ ઈનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

આ અંગે પ્રમુખ જયેશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 270થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વિતિય નંબર મેળવનાર 115થી પણ વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા 550થી પણ વધુ જ્ઞાતિના લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text