મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા પાટીદાર સમાજને રૂ.1.02 કરોડનું અનુદાન

- text


પટેલ સમાજ વાડી- લજાઇ અને ઉમા વિદ્યાર્થી ભુવન -અમદાવાદને રૂ.51-51 લાખનું દાન અર્પણ

મોરબી : મોરબીની ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ મોરબી દ્વારા પાટીદાર સમાજને રૂ.1.02 કરોડનું માતબર રકમનું દાન આપવામાં આવ્યું છે. સમાજના આગેવાનોની બહોળી ઉપસ્થિતિમાં આ દાન અર્પણ કરાયું છે.

મોરબીમાં દર વર્ષે ઉમિયા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. સમિતિના દરેક સભ્યોર નિષ્ઠા પુર્વક અને નિઃસ્વાર્થ મહેનત કરી વર્ષોથી એકત્રિત કરેલ ધનરાશીને સમાજ સેવા અર્થે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી સલંગ્ન ઉમા સંસ્કાર ધામ – મોરબીને અર્પિત કરવામાં આવી છે.

પટેલ સમાજ વાડી, ઉમા સંસ્કાર ધામ – લજાઇ (મોરબી)ને રૂ.51 લાખનું અનુદાન ભોજનાલય માટે કરવામાં આવ્યું છે. જ્યારે ઉમા વિદ્યાર્થી ભુવન (છાત્રાલય)-અમદાવાદને રૂ.51 લાખનું અનુદાન બીજી વીંગ માટે કરવામાં આવ્યું છે.

- text

- text