- text
ગાંધીજીની પ્રતિમાને હારતોરા કરી મોરબી પાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા સંકલ્પ લેવાયો
મોરબી : આજે 2 ઓક્ટોબર એટલે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી.. ત્યારે આજના આ દિવસે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તથા હારતોરા કરવાનો કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તથા હારતોરા કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના સ્વચ્છતા મિશનને આગળ ધપાવવા અને મોરબી પાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો આમ આદમી પાર્ટી દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો.
- text
- text