મોરબીના જલારામ મંદિરે 4 ઓક્ટોબરે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસો.ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા તથા સતવારા સમાજના અગ્રણી વાલજીભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે કેમ્પ

મોરબી : ગુજરાતની જાણિતી હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે મોરબી શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તારીખ 4 ઓક્ટોબર ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, સતવારા સમાજના અગ્રણી વાલજીભાઈ ડાયાભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા- 9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 36 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 10872 લોકોએ લાભ લીધો હતો તેમજ 4876 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

- text