મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતા વેપારીઓને પરેશાન

- text


મોરબી : મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે વરસાદ બાદ 2-3 દિવસ થયાં છતાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેના કારણે વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે.

વેપારી હેમંતભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે, જુના બસ સ્ટેન્ડ પાસે ગઢીયાની હોસ્પિટલ સરદાર રોડ પર વરસાદી પાણીને નિકાલની સમસ્યા વરસાદ બંધ થયો છતાં યથાવત છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા જવાબ આપતી નથી. પાણી ભરેલા હોવાને કારણે વેપારીઓને પણ વેપાર-ધંધામાં ભારે હાલાકી પડી રહી છે.

- text

- text