મિતાણા પાસે બાઈકને ઠોકર મારી એક વ્યક્તિનું મૃત્યુ નિપજાવનાર કારચાલક ઝડપાયો

- text


 

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક હાઇવે ઉપર ત્રિપલ સવારી બાઇકને ઠોકર મારી એક વ્યક્તિનું મૃત્યુ નિપજાવનાર કાર ચાલકને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.21ના રોજ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ દિવ્ય શક્તિ બહુચરધામ મંદિર નજીક અજાણ્યા કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા રાયસિંગભાઈ ભગાભાઈ ચારોલા રહે.વેલનાથપરા, રાજકોટ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા મૃતકના પુત્ર નવઘણભાઈ અને રોહિતભાઈને ઇજાઓ પહોંચતા બનાવ અંગે મૃતકના પુત્ર નવઘણભાઈ ચારોલાએ ટંકારા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તા.27ના રોજ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

- text

પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર GJ 01 RH 7669 નંબરની ઇનોવા હોવાનું ખુલ્યું હતું. જેથી તેના ચાલક નરેન્દ્રકુમાર ચંદુભાઇ પટેલ ઉ.વ-૫૦ રહે.અરવલ્લીવાળાને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.ઈન્સ. વાય કે ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.હેઙકોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી, રાજેશભાઇ કણઝરીયા, પો.કોન્સ. કૌશીકભાઇ પેઢડીયા, સીધ્ધરાજસિંહ રાણા, કૃષ્ણરાજસિંહ ઝાલા તથા દશરથસિંહ જાડેજા રોકાયેલ હતા.

- text