26 વર્ષથી મોરબીમાં સામાકાઠે યોજાતા “માં નવરાત્રિ મહોત્સવ”નું ભવ્ય આયોજન

- text


3 થી 11 ઓક્ટોબર સુધી મોરબીના સાંઈ બાગ ખાતે યોજાશે મા નવરાત્રિ મહોત્સવ

મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશિપના મેઈન ગેઈટ સામે આવેલા સાંઈ બાગ ખાતે આગામી તારીખ 3 ઓક્ટોબર થી 11 ઓક્ટોબર સુધી મા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં કોઈપણ ફી લીધા વિના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

- text

વર્ષ 1998થી યોજાતા આ મા નવરાત્રિ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 26 વર્ષથી યોજાતા મા નવરાત્રિ મહોત્સવમાં કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર તમામ જ્ઞાતિના લોકોને રાસ-ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવશે. ભાગ લેનાર ખેલૈયાઓમાંથી પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, જનરલ નોલેજ, વેશભુષા વગેરે કેટેગરીમાં દરરોજ 25 ઈનામો આપવામાં આવશે. સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે. બહેનો અને માતાઓને ગરબા રમવા માટે અલગ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ મા નવરાત્રિ મહોત્સવમાં પધારી રાસ-ગરબા થકી માતાજીની આરાધના કરવા સૌને જયરાજસિંહ એન. જાડેજા (એડ્વોકેટ) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text