29 સપ્ટેમ્બરે મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિનો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ- મોરબીનો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ- મોરબી દ્વારા 29 સપ્ટેમ્બર ને રવિવારના રોજ બપોરે 3 કલાકે મોરબીના નવાડેલા રોડ પર આવેલી વિસાશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે. આ સરસ્વતી સન્માન સમારોહમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ- મોરબીના ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, ચાંદીનો સિક્કો, સ્ટેશનરી સહિતની વસ્તુઓ આપીને સન્માનિત કરવામાં આવશે. જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, ચોપડા સહિતની વસ્તુઓ આપીને સન્માનિત કરાશે. ઈનામ મેળવવા માટે તમામ વિદ્યાર્થી અથવા વાલીઓએ હાજર રહેવા જણાવાયું છે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.

- text

- text