મોરબીના વેજીટેબલ રોડ ઉપર થયેલ હત્યા અંગે ગુન્હો નોંધાયો

- text


મોબાઈલ બાબતે ઝપાઝપી કરી આડેધડ છરી મારતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું, એક ગંભીર

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર પંચમુખી હનુમાનજી મંદિર પાસે મોબાઈલ બાબતે થયેલા ઝઘડામાં આડેધડ છરીના ઘા ઝીકતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજાઓ પહોંચતા હત્યાના આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબી શહેરના વેજીટેબલ રોડ ઉપર લાભનગર પાસે રહેતા કોકિલાબેન મુકેશભાઈ પરમાર ઉ.35 નામના મહિલાએ ગઈકાલે સાંજના સમયે તેમના પતિ મુકેશભાઈ હરિભાઈ પરમારની છરીના ઘા ઝીકી હત્યા કરવા મામલે આરોપી ઇરફાન દાઢી જામ રહે.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, આરોપીએ પંચમુખી હનુમાનજી મંદિર પાસે મુકેશભાઈ સાથે મોબાઈલ બાબતે ઝઘડો કરી છરીના આડેધડ ઘા ઝીકતા મુકેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાહેદ જગદીશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે આરોપી ઇરફાન દાઢી જામ વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.

- text