મોરબી : મીઠા ઉદ્યોગને થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવા સાંસદની રજુઆત 

- text


સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાની રજુઆત

મોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ભારે વરસાદના પગલે મીઠાના એકમોને થયેલા નુકસાન અંગે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

- text

સાંસદ શિહોરાએ કરેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ભારે વરસાદથી મીઠાના એકમોને ભારે નુકસાન થયું છે. મોરબી જિલ્લાના ઉદ્યોગ એકમોમાં મીઠાના ઉદ્યોગો માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાયનો એકમ હોય મીઠાના નાના – મોટા એકમો પર ભારે વરસાદના કારણે મીઠાના સ્ટોકનું ખૂબ જ મોટું ધોવાણ થયું છે. ઉપરાંત એકમોને મેઈન બંધપાળા, તળાવો, કચરાઓ, રોડ મશીનરીઓ, ઇલેક્ટ્રિક મોટરો તથા વાયરિંગ, રોડ, રસ્તાઓ પર મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગને યોગ્ય સહાય આપવા માંગ કરવામાં આવી છે.

- text