આમરણ તાલુકા શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ

- text


 

મોરબી : ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના સંયુક્ત ઉપક્રમે આમરણ તાલુકા શાળા ખાતે વ્યસન જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 8ના કુલ 83 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વ્યસનની ગંભીર અસરો વિશે નિબંધ લખ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે સિરોયા શ્રુતિ અરવિંદભાઈ, બીજા નંબરે વરાણીયા ધ્રુવ ભરતભાઈ અને ત્રીજા નંબરે કિડિયા જયદીપ સુરેશભાઈ વિજેતા રહ્યા હતા. કાર્યક્રમમાં વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના મેડિકલ ઓફિસર જાગૃતિ ગાંભાવાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર વિનોદ ચૌહાણ તથા ફાઇનાન્સ આસિસ્ટન્ટ નિલેશ બોડા દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે તથા વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેર ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પંકજભાઈ પટેલ તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text