29 સપ્ટેમ્બરે રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 29-9-2024ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત શ્રી સરસ્વતી સન્માન સમારોહ રાબેતા મુજબ નિર્ધારિત સમયે ચાલુ છે, તો સર્વે વિદ્યાર્થી મિત્રો તથા જ્ઞાતિબંધુઓએ આ બાબતની નોંધ લઈને કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા જણાવાયું છે.

- text

શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન પાસેના રોડનું નિર્માણ કાર્ય ચાલુ હોય જ્ઞાતિબંધુઓને પડતી અગવડતા બદલ ક્ષમા પ્રાર્થના સાથે વિનંતી કરાઈ છે કે, આજુ-બાજુની શેરીઓમાં પોતાના વાહન વ્યવસ્થિત પાર્ક કરવાં. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જલારામ બાપાના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

- text