24 થી 26 સપ્ટેમ્બર મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક ઉજવાશે 

- text


મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આગામી તારીખ 24 થી 26 સપ્ટેમ્બર સુધી મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક યોજાનાર છે. ત્યારે આ ઉર્ષમાં મોટી સંખ્યામાં લોકો આવી મોરબી શહેરમાં આવેલી દરગાહ પર માથુ નમાવી પોતાની ઉમ્મીદો પૂરી કરશે. હાલ ઉર્ષને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

- text

મહત્વનું છે કે, જે તે સમયે મોરબી દાઉદી વ્હોરા સમાજનું દાઅવતનું મરકઝ ધર્મનું મુખ્ય મથક હતું અને સમગ્ર વ્હોરા સમાજનું શિક્ષણ અને તમામ પ્રવૃત્તિ મોરબી શહેરમાં થતી હતી. આમ મોરબી પ્રબળ રાષ્ટ્રવાદની પ્રેરણા સ્વરૂપ અનેક આદર્શ શહેર તરીકે નોંધપાત્ર છે.

- text