માળિયા(મિ.)માં પ્રૌઢની લાકડાના ધોકાથી હત્યા કરનાર બે શખ્સો ઝડપાયા

- text


મોરબી : માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં જમવા બાબતે ઝઘડો થયા બાદ પ્રૌઢની હત્યા નિપજાવનાર બે શખ્સોને પોલીસે શોધી કાઢી તેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણા પંથકમાં તા.૨૧ના રોજ રાત્રીના ૯ કલાકે નૂરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર તથા રઝાક ગફુર મોવરે જમવા બાબતે ઝઘડો થયેલ હોય જેનું મન દુઃખ રાખી લાકડાના ધોકાથી ચંદુભાઈ લાધાભાઈ ઉંમર વર્ષ ૫૮ની હત્યા નિપજાવી હતી. પોલીસે બન્ને આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text