મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની વરણી

- text


પ્રમુખ તરીકે ભગવાનભાઈ કુંભરવાડિયા અને મહામંત્રી તરીકે વિશાલકુમાર ગોધાણી સતત ચોથી ટર્મ માટે બિનહરીફ

મોરબી : મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની કારોબારી અને સામાન્ય સભા જ્ઞાનપથ વિધાલય, ન્યુ હાઉસિંગ બોર્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાઈ હતી. જેમાં મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો અને કારોબારીઓ હાજર રહ્યા હતા. જેમાં ખાસ ચાલુ વર્ષની કારોબારીની મુદત તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ પૂર્ણ થનાર હોય, સર્વાનુમતે નવી કારોબારીની બિનહરીફ રચના કરવામાં આવી હતી. જેમા પ્રમુખ, મહામંત્રીની આ ચોથી ટર્મમાં પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

નવનિયુક્ત હોદેદારો અને કારોબારીની વર્ષ ૦૧/૧૧/૨૦૨૪ થી ૩૧/૧૦૨૦૨૬ સુધી વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ ભગવાનભાઈ એ. કુંભરવાડિયા, મહામંત્રી વિશાલકુમાર એમ. ગોધાણી, ઉપપ્રમુખ બાબુલાલ એલ. પીઠીયા, સચિનભાઈ એસ. કામદાર, સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ વી. કચોટ, સમસુદ્દીન યુ. માથકિયા, સંગઠનમંત્રી પાલાભાઈ કે. વરૂ, કોષાધ્યક્ષ વરજાંગભાઈ વી. ચોપડા, અન્વેષક અનિલભાઈ એચ. કૈલા, કાર્યાલયમંત્રી વિનોદભાઈ આર. કૈલા, રાજ્ય કારોબારી વનરાજભાઈ એ. ડામોર, કારોબારી સભ્ય લખુભા. એ. ગોહિલ, કારોબારી સભ્ય એચ. એ. કડીવાર, પી. પી. લાખણોત્રા અને એસ. એ. શેરસીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text