23 સપ્ટેમ્બરે મોરબીના અવધ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ 

- text


મોરબી : આવતીકાલે તારીખ 23 સપ્ટેમ્બર ને સોમવારનાં રોજ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી અવધ ફીડર સવારે 8 વાગ્યા થી બપોરના 1-30 વાગ્યા સુધી નવી લાઈનકામ કરવાની કામગીરી માટે બંધ રહેશે.

- text

જેના કારણે આ ફીડર હેઠળ આવતાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક, ધર્મ વિજય નગરના તમામ ફ્લેટ વગેરે જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text