મોરબીમાં વાંસદડિયા પરિવાર દ્વારા 26 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

- text


મોરબી : પ્રભુરત્ન પાર્ટી પ્લોટ, એસ.પી. રોડ, મોરબી ખાતે વાંસદડિયા પરિવાર દ્વારા આગામી તારીખ 26-9-2024થી 2-10-2024 દરમ્યાન બપોરે 3 કલાકથી સાંજે 7 કલાક દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોથી યાત્રા તારીખ 26ના રોજ બપોરે 1 કલાકે નીકળશે.

આ સપ્તાહમાં પ.પૂ.શ્રી જગદગુરુ દ્વારાચાર્ય મલુક પીઠાધીશ્વર સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ તેમની રસમય અને ભક્તિમય વાણીથી કથાનું રસપાન કરાવશે. આ કથાનું દીપ પ્રાગટય પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી મા – ખોખરા હનુમાનધામ મોરબી, પરમ પૂજ્ય મહામંડલેશ્વર શિવરામદાસજી – કબીરધામ મોરબી, પરમ પૂજ્ય મહંત દામજી ભગત – નકલંકધામ બગથળા, ગુરુ મહારાજ – લાલપર દ્વારા કરાવવામાં આવશે. કથામાં દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text