મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન 

- text


મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ગૌરીશંકર પેટ્રોલપંપ, શેખપીરની દરગાહ પાસે (ભુજ- કચ્છ) ખાતે નવાડેલા રોડ મિત્ર મંડળ- મોરબી દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે. જેમાં પદયાત્રિકોને ચા-પાણી, નાસ્તો, ભોજન તેમજ મેડિકલ સેવા 24 કલાક પૂરી પાડવામાં આવશે. તો આ સેવાનો લાભ લેવા સર્વે પદયાત્રિકોને આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે 9825648668 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

- text