સામખીયાળી નજીક કટારીયા હનુમાનના ગેઈટ પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન 

- text


માળિયા (મિયાણા) : સામખીયાળી-કચ્છ હાઇવે પર સામખીયાળી પહેલા જ કટારીયા હનુમાનના ગેઈટ પાસે આશાપુરા માતાજી પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ભક્તો ચાલીને માતાના મઢે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રિકો માટે તારીખ 24 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી આશાપુરા માતાજી પદયાત્રા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે નિલેશભાઈ- મો.નં. 98254 11429 અથવા શૈલેષભાઈ- મો.નં. 987934618નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

- text