નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ૨૪મી વાંકાનેરમાં પ્રીસ્ક્રુટીની ટેસ્ટ 

- text


 

સંરક્ષણદળો-આર્મી, નેવી,એરફોર્સ, પોલીસ ફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં યુવાનો સારો દેખાવ કરી શકે તે માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

મોરબી : રોજગાર વિનિમય કચેરી, મોરબી દ્વારા સંરક્ષણદળો-આર્મી, નેવી,એરફોર્સ, પોલીસ ફોર્સ, અર્ધ લશ્કરી દળો– વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે એક માસના, રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૦૧/૧૦/૨૦૨૪ની આસપાસથી એચ.એન. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, વાંકાનેર કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

- text

આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે એચ.એન. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text