માળિયા (મિ.)ના અનેક ગામોમાં પીવાના પાણીની પળોજણ : સરપંચોનું કલેકટરને આવેદન

- text


મેઈન લાઈનમાં ઠેક ઠેકાણે ગેરકાયદે કનેક્શનો નાખેલ હોય, છેવાડાના ગામોને અપૂરતું પાણી મળતું હોવાની રાવ

મોરબી : માળીયા (મિ.) તાલુકાના વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા સહિતના ગામડાઓમાં પીવાનું પાણી પુરતુ અપાવવા અને ગેરકાયદેસર કનેક્શન દુર કરવા કલેકટરને ગામ પંચાયત દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

ગામના સરપંચોએ જણાવ્યું કે માળીયા (મિ.) તાલુકાના ગામડાઓમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી અપાતું હોય છે અને છેવાડાના વિસ્તારમાં આવેલ ગામડાઓમાં પીવાના પાણીનીની કાયમી સમસ્યાઓ રહેતી હોય છે અને પાણી પુરવઠાના અધિકારીને અનેક લેખિત રજૂઆત તેમજ તેમના કોન્ટ્રાક્ટરને અનેક ફોન કરીને રજુઆત ગામના સરપંચો કરતા હોય છે. પણ કોઈ નિકાલ ન થતાં આજ રોજ જીલ્લા કલેકટરની કચેરીએ ગામડાઓમાં ગામ પંચાયતના સયૂકત સરપંચો સાથે મળીને પોત પોતાના ગામનો પીવાના પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ આવે તેવી માંગ કરી હતી.

- text

આ સાથે પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલાથી અપાતું પીવાનું પાણી પુરતુ ગામડાઓમાં આવતું ન હોય અને મોરબીથી પાણીનો પૂરતો જથ્થો આવતો હોય પરંતુ ત્યાં પાણી પુરવઠાની મેઇન લાઈનમાં ગેરકાયદેસર ભુતીયા કનેક્શનો નાખેલા હોય જેથી ગામડાઓમા કાયમી આ પીણી ની મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે અને ગામ પંચાયત દ્વારા પોતાના ગામમાં આવેલ વિસ્તારમાં પાણી વિતરણ કરી શકતા નથી. નાનાભેલા પાઈપ લાઈન દ્વારા પાણી દર ત્રણ દિવસે અપાય છે અને તે પણ અપુરતુ પાણી આવતું હોય છે. તો તેને દર બીજા દિવસે પુરતુ પીવાનુ પાણી આપવા અને ભુતીયા કનેક્શન વિરૂધ્ધ કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરી છે.

- text