વિરપુર ખાતે યોજાનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબીના લોહાણા સમાજના અગ્રણીઓ હાજરી આપશે

- text


મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં જોડાવવા સમસ્ત લોહાણા સમાજને આહ્વાન

મોરબી : અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વિરપુર (જલારામ ધામ) ખાતે આગામી તા.29-9-2024 ને રવિવારના રોજ સંસ્થાના નવનિર્વાચિત અધ્યક્ષ જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ ઉપરાંત રઘુવંશી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્ર્સ્ટ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીતની લોહાણા સમાજની સંસ્થા દ્વારા આ મહાસંમેલનમાં જોડાવવા સમસ્ત લોહાણા સમાજને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી તા.29-9-2024ના રોજ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા મહાસંમેલનમાં જવા પ્રસ્થાન કરવામાં આવશે. શ્રી લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા મહાસંમેલનમાં જવા માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે. જેના ભાગરૂપે અગાઉ થી નામ નોંધાવવું આવશ્યક છે. ત્યારે નામ નોંધાવવા માટે નરેન્દ્રભાઈ રાચ્છ (મંત્રી- શ્રી લોહાણા મહાજન-મોરબી) મો.નં. 99259 85394 તથા કિશોરભાઈ ઘેલાણી મો.નં. 94282 80170નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત જે લોકો પર્સનલ કારથી મહાસંમેલનમાં જોડાવવાના હોય તેમણે પ્રતાપભાઈ ચગ મો.નં. 98258 27770, પારસભાઈ ચગ મો.નં. 90330 07890 તથા સચિનભાઈ કાનાબાર મો.નં. 97261 22009 પર સંપર્ક કરવા લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ યાદીમાં જણાવ્યુ છે.

- text