મોરબીની અનુપમ સોસાયટીમાં ગટરના પાણીનો પ્રશ્ન હલ ન થતાં ફરી રસ્તા રોકો આંદોલનની ચીમકી

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી ગટરના પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઉદભવેલી છે ત્યારે આ અંગે એક વખત રસ્તા રોકો આંદોલન કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોએ ફરીથી આ અંગે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અનુપમ સોસાયટીના નાકે છેલ્લા ઘણા દિવસથી ગટરનું પાણી ભરાયેલું રહે છે જેના કારણે ત્યાંથી પસાર થતાં અનુપમ સોસાયટી અને અંકુર સોસાયટી સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશના જણાવ્યા પ્રમાણે ગટરના પાણી ઉભરાવાની સમસ્યાને લઈને એક વખત અમે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે નહીંતર આગામી દિવસોમાં બીજી વખત રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. રહીશોએ તંત્રને ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, જો તાત્કાલિક આ સમસ્યા હલ કરવામાં નહીં આવે તો અનુપમ સોસાયટી અને અંકુર સોસાયટીના લોકો ઉગ્ર આંદોલન કરશે.

- text

- text