વાઘગઢ ગામે વિદ્યાર્થી માફક મહેમાનોની પરીક્ષા લઈ રાંદલ ઉત્સવની અનોખી ઉજવણી

- text


પેપરમાં ધર્મ, રાષ્ટ્ર, અનુશાસન, પર્યાવરણ તેમજ જીવન ઉપયોગી પ્રશ્નો પુછાયા : બાળકો માટે ગમ્મતનું આયોજન : સેવાકાર્યો પણ કરાયા

ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહીશ અને આર્ય વિદ્યાલયમ્ ટંકારાના પ્રમુખ વુક્ષ પ્રેમી માવજીભાઈ દલસાણીયાના ઘરે પૌત્રના રાંદલ ઉત્સવમાં સામાજિક સમસ્યાઓના સચોટ સમાધાન માટે અનેરો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ વૈદિક સાહિત્યના તેમજ વેદ, ઉપનિષદ, રામાયણ, ગિતા સહિતના બધા જ ગ્રંથોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. તેમાં સગા -સ્નેહી ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો. સાથે સાથે તેમાં થતા પ્રશ્નોનું નિરાકરણ માટે આર્ય સમાજના મંત્રી દેવકુમાર પડસુંબીયા દ્વારા સરળ ભાષામાં સમજ આવી હતી.

ત્યારબાદ ધર્મ, રાષ્ટ્ર, અનુશાસન,પર્યાવરણને લગતા પ્રશ્નો સાથે જીવન ઉપયોગી અને આત્મઉન્નતિને અનુરૂપ પ્રશ્ન પેપર કાઢી પ્રસંગમાં આવેલ મહેમાન તેમજ ગામજનોને પંગતમા બેઠક વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવી હતી. અમિત કોરીગા, દેવેન્દ્ર ફેફરે પેપર જોઈ રીઝલ્ટ જાહેર કર્યુ હતું.

પ્રસંગમાં પત્તા જુગારને તિલાંજલિ આપી ઉત્તમ પેપર લઇ જ્ઞાનની વૃદ્ધિ દ્રારા શ્રેષ્ઠ માનવ નિર્માણ કેમ થાય તેના માટેના સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ હતો.સાથે સાથે બાળકો માટે મનોરંજન રમતો ભાવિકાબેન દ્રારા પણ રમાડવામાં આવેલ હતી. ત્યારબાદ વાઘગઢ પ્રાથમિક શાળાના બાળકોના અંગ કસરતના દાવનું પણ નિર્દશન કરવામાં આવેલ હતું. બાળકોના કલા કૌશલ્ય જોઈ મહેમાનો દંગ રહી ગયા. મહેમાનોના મુખે ગામ અને શાળાના વખાણ કરતા થાક્યા નહી.

- text

આ રીતે વાઘગઢ હંમેશા સૌથી અલગ અવનવા પ્રેરણાદાયી કાર્યક્રમ કરતું રહ્યું છે.

રાંદલ ઉત્સવ નિમિત્તે શાળાના બાળકોને બે બે જોડી ગણવેશ પણ પર્યાવરણ પ્રેમી માવજીભાઈ દ્રારા આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે તેઓની ભત્રીજી શીતલબેન દ્રારા પ્રતિદિન 100 રૂપિયાનું અનુદાન છેલ્લા બે વર્ષોથી ગામની સરકારી શાળાને આપવામાં આવે છે.

- text