મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિરે 21 સપ્ટેમ્બરે પ્રેરક પ્રવચન યોજાશે 

- text


મોરબી : મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અંગે ભક્તિસાગર સ્વામિના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રવચનમાં વક્તા પૂજ્ય ભક્તિસાગર સ્વામી જીવનમાં અક્ષરપુરુષોત્તમ ઉપાસનાને દ્રઢાવનાર પ્રેરક પ્રવચનનું રસપાન કરાવશે. આ પ્રવચન દરમ્યાન સાંજે 7 થી 8 કલાક દરમ્યાન મહાપ્રસાદ અને રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ભક્તોને આ પ્રવચનનો લાભ લેવા સંત મંડળ વતી આત્મકીર્તિદાસ (કોઠારી સ્વામી) તથા સાધુ હરીસ્મરણદાસ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text