મોરબી પાલિકાએ ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી ચલાવ્યું સ્વરછતા અભિયાન

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ચીફઓફિસર કુલદીપસિંહ વાળા તથા ડો.સતિષભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવોએ કર્યું શ્રમદાન

મોરબી : મોરબી નગરપાલિકા દ્રારા સ્વરછતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત શનાળા રોડ પર ઉમિયા સર્કલથી નવા બસસ્ટેન્ડ સુધીનાં રસ્તા પર સ્વરછતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ અભિયાનમા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પાલિકાના ચીફઓફિસર કુલદીપસિંહ વાળા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બનાં પ્રમુખ રુચિરભાઈ કારીયા તથા કે.સી મહેતા, અશોકભાઈ જોષી, હર્ષદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, શષીકાંતભાઈ મહેતા, પુષ્પરાજસિંહ જાડેજા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બના તમામ હોદેદારો તથા રોટરી ક્લબના પ્રમુખ કિશોરસિંહ જાડેજા તથા સોનસબેન શાહ અને કોમનમેન ફાઉન્ડેશનનાં અગ્રણી અને સ્વરછ મોરબીનાં બ્રાન્ડ એમ્બેસેડર ડો.સતિષભાઈ પટેલની સંયુક્ત સહભાગી દારીથી શ્રમદાન થકી આ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

મોરબીનાં લોકો પોતાનાં ધર, દુકાન, ઓફીસનો કચરો રોડ પર નહીં ફેંકવા અને ડોર ટુ ડોરનાં ગારબેજ કલેકશન વહીકલમાં નાંખવા ધારસભ્ય કાંતિભાઈ અમ્રુતિયાએ અનુરોધ કર્યો છે અને જો કોઈ વિસ્તારમાં ડોર ટુ ડોર ગારબેજ કલેકશન વહીકલ ન આવે તો ચીફ ઓફીસરને જાણ કરવાની અપીલ કરી મોરબીનાં લોકોને સ્વરછતા અભિયાન પુરતું જ નહીં કાયમ માટે મોરબીને સ્વરછ રાખવા માટે સહકાર આપવા તેઓએ આહવાન કર્યું છે.

- text

- text