- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ હોય, સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપી દેવામાં આવ્યો છે.
આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ આદેશ પણ જારી કર્યો છે. જેમાં જણાવાયુ છે કે હસનપર ગ્રામ પંચાયતના સરપંચ કાજલબેન અજયભાઈ પરસોડા સામે અવિશ્વાસની દરખાસ્ત ખાસ સભામાં પસાર થઈ છે. જેથી ઉપસરપંચ રમેશભાઈ ભાવાભાઈ સારલાને સરપંચની જગ્યા ભરાઈ નહિ ત્યાં સુધી સરપંચનો ચાર્જ સોંપવામાં આવે છે.
- text
- text