વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા રક્તદાન કરાયું

- text


મોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલની ઉપસ્થિતમાં ગ્રુપના 7થી વધુ સભ્યોએ સંસ્કાર બ્લડ બેંક ખાતે રક્તદાન કર્યું હતું. પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી તેમજ સંચાલક રમેશભાઈ પટેલે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text