લખધીરગઢ શાળાના શિક્ષિકાનો નવતર પ્રયોગ, વિદ્યાર્થીના જન્મદિવસે ‘એક મુઠ્ઠી મગ સાથે યજ્ઞ’

- text


ટંકારા : લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન પીપળીયાએ શાળામાં વિદ્યાર્થીના જન્મદિવસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. વિદ્યાર્થીના જન્મદિવસે ચોકલેટના બદલે એક મુઠ્ઠી મગનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે શાળાના વિદ્યાર્થી જીયાનના જન્મદિવસે એક મુઠ્ઠી બાફેલા કે ફણગાવેલા મગનો યજ્ઞ કરવામાં આવ્યો હતો.

મગનું સેવન આરોગ્ય માટે લાભદાયી છે. બાળકોને તંદુરસ્તી સારી રહે છે. આરોગ્યની જડીબુટ્ટીમાં કહેવાય છે કે “મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદું, મારું સેવન રોજ કરો તો માણસ ઊઠાડું માંદુ” જ્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો તો તંદુરસ્ત છે અને તંદુરસ્ત બાળકો એક મુઠ્ઠી મગનું સેવન કરે તો એમને તંદુરસ્તી વધારે સારી બને. આજકાલ આપણે જોઈએ કે બાળકોમાં થોડું કુપોષણનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આ એક મુઠ્ઠી મગનો પ્રયોગ બાળકોને તંદુરસ્તી બક્ષશે જેના કારણે એમની શીખવાની ક્ષમતામાં પણ વધારો થશે. આરોગ્યની જાળવણી સાથે બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોની ખીલવણી થાય તેથી જીયાનના જન્મદિવસ નિમિત્તે શાળામાં રિસેસના સમયે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

- text

- text