માળિયા (મિયાણા)ના વેણાસર ગામે વ્યસન મુક્તિ અંગે નિબંધ સ્પર્ધા યોજાઈ 

- text


માળિયા (મિયાણા) : આજે તા.13/09/2024ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી દ્વારા વેણાસર પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8ના કુલ 49 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા નિબંધો લખવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના MPHS એસ.સી. બોપલીયાએ વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપી હતી. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વેણાસર શાળાના આચાર્ય પટેલ રોહીતભાઈ રસીકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો અને અંતે વેણાસરના MPHW વાધેલા મહેશભાઈ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક શાળાના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં FHW સંજીરાબેન બાદી અને CHO વેણાસર, એમ.પી.એચ.એસ. એસ.સી. બોપલીયા એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગ કર્યો હતો.

- text

- text