મોરબીના રવાપર ગામે 13 સપ્ટેમ્બરે બહુચરાજી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના રવાપર ગામે આગામી તારીખ 13 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ ચારોલા પરિવારના કુળદેવી શ્રી બહુચરાજી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જગદિશભાઈ કાનજીભાઈ ચારોલા, વલ્લભભાઈ કાનજીભાઈ ચારોલા અને જયેશભાઈ વલ્લભભાઈ ચારોલા પરિવાર દ્વારા બહુચરાજી માતાજી તથા સુરાપુરા દાદાની કૃપાથી કુળદેવી શ્રી બહુચરાજી માતાજીનો નવરંગો માંડવો 13 સપ્ટેમ્બરે યોજાશે. જેમાં 13 સપ્ટેમ્બરે સવારે શુભ ચોખડિયે થાંભલી રોપણ થશે. ત્યારબાદ માતાજીના સામૈયા કરવામાં આવશે. સાંજે 6 કલાકે એસપી રોડ પર આવેલા એસ.એમ. પાર્ટી પ્લોટ ખાતે માતાજીના પ્રસાદનું આયોજન કરાયું છે. તથા 14 સપ્ટેમ્બરે સવારે શુભ ચોખડિયે થાંભલી વધાવવામાં આવશે. આ નવરંગા માંડવામાં હરેશભાઈ રાવળદેવ તથા તેમનું સાજીંદા ગ્રુપ ઉપસ્થિત રહીને માતાજીની આરાધના કરશે.

- text

- text