વાંકાનેરની ઘીયાવડ પ્રા. શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ 

- text


વાંકાનેર : વાંકાનેરની શ્રી ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જુના કણકોટમાં પર્યાવરણ જાગૃતિને ધ્યાનમાં રાખીને “ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી તૈયાર કરવાની સ્પર્ધા “નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાનું સર્જનાત્મક કૌશલ્ય અને આસ્થાનું પ્રદર્શન ગણેશજીની મુર્તિ તૈયાર કરીને કર્યું હતું. આ કાર્યક્રમમાં ઝાલા માન્યરાજસિંહ, ખોડા મહેશ, સાકરીયા વંશિકા, ઝાલા ખુશાલીબા, ચૌહાણ જયદીપ વિજેતા થયા હતા. તેમજ સ્પર્ધાને સફળ બનાવવા શિક્ષક કવિતાબેન, નમ્રતાબા, દિનેશભાઈએ જહેમત ઉઠાવી હતી તેમ આચાર્ય વીરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text