મોરબીના સરદાર બાગ પાસેની ન્યુ આદર્શ સોસાયટી નજીક ગટરના પાણી ઉભરાવાની સમસ્યા 

- text


મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ પાસે આવેલી ન્યુ આદર્શ સોસાયટી પાસે અને સરદારબાગ પાસે રોડ પર છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણી છલકાઈ રહ્યા છે.

મહત્વનું છે કે, ન્યુ આદર્શ સોસાયટી પાસે અને સરદારબાગ પાસે રોડ પર જ્યાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યાં દરરોજ સવારે શાક માર્કેટ ભરાય છે. અહીંયાથી જ લોકો શાકની ખરીદી કરીને ઘરે લઈ જતા હોય છે ત્યારે આ ગંદા પાણીના કારણે બીમારી ફેલાવવાનો પણ ભય ઊભો થયો છે. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકોને પણ આ ગટરના પાણીના કારણે મારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની માગ છે.

- text

- text