મોરબીનાં સામાકાંઠાના ન્યૂ રીલીફ નગરમાં ગણપતિ બાપાની સ્થાપના 

- text


મોરબી : તારીખ 7 સપ્ટેમ્બર ને ગણેશ ચતુર્થીના દિવસે મોરબીનાં સામાકાંઠે આવેલા ન્યૂ રીલીફ નગરમાં વાજતગાજતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી.

સોસાયટીની મહિલાઓ દ્વારા પોતાના ઘર ખર્ચમાંથી બચાવેલી મૂડીનો સદઉપયોગ કરી સ્વેચ્છાએ ફાળો એકત્રિત કરી ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોસાયટીમાં ગઈકાલે સૌ પ્રથમ નાની બાળાઓ દ્વારા ગણપતિજીને કપાળે કંકુનો ચાંદલો કરી સામૈયું કરી બ્રહ્મદેવતાંઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર દ્વારા ગજાનન ગણપતિ મહરાજની સ્થાપના કરવામાં આવી હતી. સોસાયટીના સિનિયર મહિલાઓના હાથે પ્રથમ આરતી પૂજન કરાવવામાં આવ્યું હતું. હવે દરરોજ સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત પૂજન અર્ચન થશે જેથી સોસાયટીના દરેક પરિવારને પૂજા -આરતીનો લાભ મળે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરના રોજ મહા આરતી કરી સોસાયટીના દરેક સભ્યો સહપરિવાર મહાપ્રસાદ સાથે લઈ ત્યાર બાદ ગણેશ વિસર્જન કરવામાં આવશે.

- text

- text