માવતર ગૃપ ઓફ રાતાભેર દ્વારા રસ્તે રખડતા ગૌમાતાને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા 

- text


મોરબી : મોરબીમાં માવતર ગૃપ ઓફ રાતાભેર હંમેશા સેવાકાર્ય માટે તત્પર રહે છે. ત્યારે હાલ ગૃપ દ્વારા રાત્રીના સમયે અંધારામાં થતા અકસ્માત તથા આ અકસ્માતમાં ભોગ બનતા ગૌમાતાને બચાવવામાં માટે રસ્તા પર અખડતા ગૌમાતાના રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે. મહત્વનું છે કે, રાત્રીના અંધારામાં અનેક વખત અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. તેમજ આ અકસ્માતનો ભોગ અબોલ જીવ બનતા હોય છે. તથા મોરબીમાં અખડતા ઢોરનું પ્રમાણ વધુ હોવાથી માવતર ગૃપ ઓફ રાતાભેર દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે.

- text

- text