મોરબીની રફાળેશ્વર ફાટક પાસે ખાડાથી વાહન ચાલકો પરેશાન 

- text


મોરબી : મોરબીની રફાળેશ્વર ફાટક પાસે ફાટક પહેલા રોડ પર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે દુષ્યંતભાઈ સરાવાડીયા દ્વારા રેલવે વિભાગને લેખિત અરજી આપવામાં આવી છે. તેમનાં જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા આઠ મહિનાથી દર બે મહિને રફાળેશ્વર ફાટક પહેલા પડેલા ખાડા રીપેર કરવા રેલવે વિભાગને રજૂઆત કરી રહ્યા છે પરંતુ રેલવે વિભાગ તરફથી કોઈપણ પ્રકારના જવાબ મળતો નથી અને ખાડા પણ રીપેર કરવામાં આવતા નથી. ત્યારે આ અંગે તાત્કાલિક ધોરણે પગલા લઈ રોડ રીપેરીંગ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

- text

- text