અત્યાર સુધી અનેક સફળ સર્જરી કરનાર નિષ્ણાંત તબીબ ડો.દર્શન પટેલ ઓપીડી યોજશે, ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની નિદાન સેવાનો લાભ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ- આંતરડા તથા લીવર, સ્વાદુપિંડ, પીતાશયના નિષ્ણાંત સર્જન ડો. દર્શન પટેલ આગામી મંગળવારે મોરબીમાં ઓપીડી યોજવાના છે. જેથી મોરબીવાસીઓને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની નિદાન સેવાનો લાભ મળવાનો છે.
રાજકોટની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા લાપ્રોસ્કોપીક, પેટ- આંતરડાની સર્જરી તથા લીવર, સ્વાદુપિંડ, પીતાશયના નિષ્ણાંત ડો. દર્શન પટેલ- M.S, FMAS, FIAGES, DNB (Surgical Gastroenterology) હવે દર મહિનાના બીજા મંગળવારે મોરબીમાં ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત તેઓ તા.10 સપ્ટેમ્બરને મંગળવારે ક્રિષ્ના હોસ્પિટલ, શનાળા મેઈન રોડ, મોરબી ખાતે 11થી 12 અને ડો. અમિત ગામીની અથર્વ હોસ્પિટલ, એપલ હોસ્પિટલના ત્રીજા માળે, ઉમિયા હોલ સામે, મહેશ હોટલવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે 12 થી 1 દરમિયાન ઓપીડી યોજશે.
ડો. દર્શન પટેલે એમ.બી.બી.એસ અને એમ.એસ. – જનરલ સર્જરી બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદમાંથી જ્યારે ડી.એન.બી. – સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એપોલો હોસ્પિટલ્સ, ચેન્નાઈથી કર્યું છે. ઉપરાંત તેઓએ 2013માં એફ.એમ.એ.એસ. – મિનિમલ એક્સેસ સર્જરીમાં ફેલોશિપ સરકારી મેડિકલ કોલેજ, સુરતથી મેળવી છે. 2017માં એફ.આઈ.એ.જી.ઈ.એસ. – ઈન્ડિયન એસોસિએશન ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ એન્ડો સર્જન્સની ફેલોશિપ SRMC મેડિકલ કોલેજ, ચેન્નાઈમાંથી કરી છે. જ્યારે 2010-11માં એમ.સી.એચ. સિનિયર રેસીડેન્સી સરકારી મેડિકલ કોલેજ, સુરતથી મેળવી છે.
તેઓ એચ.પી.બી. સર્જરી, લીવર, સ્વાદુપિંડ અને પિત્તરસ સંબંધી માર્ગ/ પિત્તાશયની સર્જરી, જી.આઈ.: ગેસ્ટ્રો-આંતરડાની સર્જરી, જી.આઈ. અને એચ.પી.બી. કેન્સર સર્જરી, મિનિમલ્લી ઈન્વેસિવ સર્જરી: એડવાન્સ જી.આઈ. લેપ્રોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી, પેટની ટ્રોમા સર્જરી અને કોમ્પ્લેક્સ તથા રી-ઓપરેટિવ જી.આઈ. સર્જરીના નિષ્ણાંત છે.