જાંબુડિયામાં વિચરતી- વિમુક્ત જાતિના પરિવારોના પ્લોટમાં દબાણ મામલે કલેકટરને આવેદન 

- text


મોરબી : મોરબીના જાંબુડિયા ગામે વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને સરકાર દ્વારા જે જમીન ફાળવવામાં આવી હતી. તેમાં દબાણો થઈ ગયા હોવાની રાવ સાથે વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

આ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગત તા. 17/02/2022ના હુકમથી જાંબુડિયા ગામના સર્વે નં.145 પૈકીના સરકારી ખરાબામાં 124 વિચરતી અને વિમુકત જાતિના પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ જગ્યા ઉપર દબાણ ખડકાઈ ગયા હોય તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text

- text