ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 8 અને 15મીએ આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે

- text


મોરબી : ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેતમપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે.

જેમાં તારીખ 8 અને 15 સપ્ટેમ્બર, 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ગ્વાલિયર-ભીંડ-ઈટાવા થઈને દોડશે. જેની મુસાફરોએ નોંધ લેવી. તેમજ ટ્રેનોના સમય, સ્ટોપેજ કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોએ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text