મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ

- text


મોરબી : ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે 5 સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનને અનુલક્ષીને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના હરભોલે હોલ ખાતે યોજાયેલી કાર્યશાળામાં પ્રદેશ ભાજપમાંથી કમલેશભાઈ મીરાણી અને માનસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે એસ અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર તાલુકા જિલ્લાના તમામ મંડળ/મોરચાના પ્રમુખ, મહામંત્રી, મોરચાના તમામ હોદ્દેદારો, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારીઓ હાજર રહ્યા હતા. સૌને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનને વેગ આપવા માહિતી આપવામાં આવી હતી.

- text

- text