જોધપર (નદી) બી.એડ. કોલેજમાં તમાકુના વ્યસનની જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ- મોરબીના સયુક્ત ઉપક્રમે આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી) બી. એડ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓ તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા તથા પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 107 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી બી મહેતા તથા ડો. દિપક બાવરવા (EMO)ની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ લાલપર આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર (MPHS) દીપકભાઈ વ્યાસ તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી) ના કોમ્યૂનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદભાઈ, FHW સાહિસતાબેન ડેકાવડિયા, MPHW તોફિકભાઇ બેલીમ તથા પ્રિન્સિપાલ રજનીશ એચ. બરાસરા, તથા શિક્ષકો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રશ્નોતરીના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા તથા મારું ઘર તમાકુ મુક્ત, મારું ગામ તમાકુ મુક્ત, મારું શહેર તમાકુ મુક્ત, મારો જિલ્લો તમાકુ મુક્ત, મારું રાજ્ય તમાકુ મુક્ત સ્લોગન રાખવામાં આવ્યું હતું તથા પાન્ડું રોગ(એનિમિયા) વિષે તથા પોષાક આહાર લેવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

- text

- text