મોરબીના શનાળા રોડ પર અનુપમ કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસીની સામે તારીખ 7 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી અનુપમ કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 7 સપ્ટેમ્બરે ગણેશ સ્થાપન કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે વિસર્જન કરવામાં આવશે. દરરોજ પૂજા અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાને આ ગણેશ મહોત્સવમાં દર્શન અને આરતીનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text