- text
મોરબી : નવરંગ નેચરલ ક્લબ દ્વારા મોરબીના શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે, સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ 8/9/2024 ને રવિવારે સવારે 8 થી 1 કલાક દરમ્યાન દરેક જાતના ફૂલ છોડના કલમી રોપાનું રાહત ભાવે વિતરણ કરવામાં આવશે.
જેમાં 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ, શુધ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, પાવડર, ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા વગેરે રાહત ભાવે મળશે. ફુલ છોડના કુંડા, ગાય આધારિત દેશી ખાતર, તમામ બીમારીમા ઉપયોગી દેશી ખાંડ સિંધાલૂણ ગોળ ફ્રુટ પ્રોડક્ટ્સ સાબુ મહેંદી રાહત ભાવે મળશે. નોંધનીય છે કે, પ્રમુખ વી. ડી. બાલાસર 9427563898, મોરબી લવજીભાઈ પ્રજાપતિ 9925369465, અને સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરે છે.
- text
- text