- text
મોરબી : મોરબીના ભડિયાદ ગામે કેમિકલયુક્ત પાણી વોંકળામાં છેડવામાં આવી રહ્યું હોય આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને લેખિત રજૂઆત કરીને આવા ઔદ્યોગિક એકમો સામે પગલાં ભરવા જણાવ્યું છે.
- text
ગ્રામ પંચાયતના જણાવ્યા પ્રમાણે, ભડિયાદ ગામે આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા ભડીયાદ વોંકળામાં ગંદુ ઝેરી તથા દુર્ગંધયુક્ત પાણી છોડવામાં આવે છે. જેના લીધે આસપાસના ખેડૂતો તથા ગ્રામજનોના સ્વાસ્થ્યને જોખમ ઉભું થયું છે. આ અંગે અગાઉ પણ રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં એકમ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી પગલાં ભરવા જણાવાયું છે.
- text