મોરબી જિલ્લામાં સફાઈ કર્મી પાસે મેલું ઉપાડવાની કે શૌચાલય સાફ કરાવાતું ન હોવાનો સર્વે કરાયો

- text


સર્વેમાં તારણ કરાયો; સર્વે અંગે કોઈને વાંધો હોય તો દિવસ- 2માં આધાર પુરાવા સાથે જાણ કરવી

મોરબી : ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા. 20-10-2023ના ચુકાદા મુજબ મોરબી જિલ્લામાં “ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રીહેબીલીટેશન એક્ટ-2013” મુજબ જિલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ તથા અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)ની સફાઈનું કામ થતું હોય તેને રોકવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી અન્વયે મુજબ મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરીમાં મોરબી જિલ્લામાં ક્યાંય પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines) જોવા મળ્યા નથી. આ સર્વે અંતર્ગત જો કોઈપણ વ્યક્તિને વાંધા હોય તો સંબંધિતોએ જિલ્લાની સંબંધિત નગરપાલિકા/તાલુકા પંચાયતમાં દિન-2માં જરૂરી આધાર – પુરાવા સહિત જાણ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આ બાબતનો કોઈ વાંધો માન્ય રહેશે નહીં. જેની નોંધ લેવા અધ્યક્ષ જિલ્લા સર્વે સમિતિ તથા જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

- text

- text